સ્વાધ્યાય
1. નાવિક વળતો બોલિયો
1. નીચેના પ્રશ્નોના એક-એક વક્યોમાં ઉત્તર લખો :
1) નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે ?
નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસવાની સંમતી આપે
છે .
2....
નવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સભણાવ્યું છે?
શ્રીરામની ચરણરજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે,શ્રીરામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું.
3) અંતે કોણ નાવિકના મનનું સમાધન કરે છે ?
અંતે શ્રીરમના ગુરુ વિશ્વમિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે.
નાવિકે શાના વડે શ્રીરામનાં ચરણ પખાળ્યાં ?
4...
નાવિકે ગંગાજળ વડે શ્રીરામના ચરણ પખાળ્યાં.
5) કવિએ શ્રીરામને કેવા કયાં છે ?
કવિએ શ્રીરામને અશરણશરણ અર્થાત નિરાધારના આધાર કયા છે.
2. નીચેના પ્રશ્નોના મુદ્દાસરઉત્તર લખો :
1) નાવિકે શ્રીરામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી ?
નાવિકે સાંભળ્યું હતું કે શ્રીરામની ચરણજનો મહિમાં અપાર છે. એમની ચરણરજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. ઋષિના શાપથી પથ્થર બની ગયેલી અહલ્યા શ્રીરામની ચરણરજના સ્પર્શથી સ્ત્રી બની ગઈ હતી. તેથી નાવિકની મૂંઝવણ હતી કે એની હોડી ભલે કષ્ઠની હોય, પણ કાષ્ઠ હોય કે પાષાણ બંને એક જ કહેવાય ને, એટલે જો એ શ્રીરામને પોતાની હોડીમાં બેસાડે તો શ્રીરામની ચરણરજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જાય તો મારે શું કરવું ?આ હોડી જે મારી આજીવિકાનું સાધન છે તે જ છીનવાઈ જાય. આમેય એક પત્નિ તો ઘરમાં છે જ. એમાં વળી બીજી સ્ત્રી આવે તો.
બંને ખાય શું ?એ બંનેના ભરણપોષણની વ્યવસ્થા કેવી રીતે કરવી ? તેથી નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને પોતાની હોડીમાં બેસાડવા તૈયાર થાય છે, પણ એણે શ્રીરામને હોડીમાં બેસાડવાની ના પાડી દીધી.
2.)
નાવિકે શું વાંધો ઉઠાવ્યો ?
નવિકે એ વાંધો ઉઠાવ્યો એ એ પોતાની હોડીમાં શ્રીરામને બેસાડશે નહિ, કેમ કે એમની ચરણરજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જશે. વળી, એક સ્ત્રી તો ઘરમાં છે જ અને વળી બીજી સ્ત્રી આવે તો ઘરમાં આવે તો એ બંનેનું ભરણ પોષણ કઈ રીતે કરવું ?
3) નાવિકાના વાંચાનો વિશ્વામિત્રે શો ઉપાય સૂચવે છે ?
* વિશ્વામિત્ર નાવિકના વાંધનો એ ઉપાય સુચવે છે કે નાવિક શ્રીરામનાં ચરણ ગંગાજળથી પખાળે, જેથી એમના ચરણમાં સહેજ પણ રજ રહે નહિ અને એની હોડી સ્ત્રી બની ન જાય.
નાવિકે શાના વડે શ્રીરામનાં ચરણ પખાળ્યાં ? 4)
નાવિકે ગંગાજળ વડે શ્રીરામના ચરણ પખાળ્યાં.
3. મુદ્દાસર નોંધ લખો :
નાવિકનું ભક્ત હ્રદય
નાવિક ભોળો હતો, તે શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવ્યાં. સૌને નદી પાર કરવા જણાવ્યું, પણ એનું ભક્ત હદય એક વિમાસણમાં મુકાઈ ગયું. જો એ શ્રીરામને પોતાની નાવમાં બેસાડે અને નાવ સ્ત્રી બની જાય તો ?કેમ કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા શ્રીરામની ચરણજથી જીવિત સ્ત્રી બની ગઈ હતી એ પ્રસંગ નાવિકે સાંભળ્યો હતો. એની આજીવિકા છીનવાઈ જાય એ એને પરવડે તેમ નહોતું. વળી, ઘરમાં એક સ્ત્રી તો હતી જ. એમાં વળી બીજી સ્ત્રી આવે તો બંનેના ભરણપોષણની વ્યવસ્થા કેવી રીતે કરવી એ પણ એની મૂંઝવણ હતી, ત્યાં વિશ્વામિત્રે સૂચવેલા ઉપાય પર એણે વિશ્વાસ મૂક્યો; કેમ કે એ શ્રીરામનો મહિમા જાણતો હતો. એણે ભક્તિભાવપૂર્વક શ્રીરામનાં ચરણ ગંગાજળથી પખાળ્યાં. આ નિમિત્તે નાવિકને શ્રીરામના ચરણ પખાળવાની તક મળી.
(૧)..નાવિક વળતો બોલિયો (પદ) ભાલણ [પંદરમી સદી ઉત્તરાર્ધ - સોળમી સદી પૂર્વાર્ધ)
કાવ્ય-પરિચય
કવિ ભાલણે આ પદમાં વાલ્મિકી રામાયણમાં આવતા કેવટનો પ્રસંગ નિરૂપ્યો છે. નાવિક (કેવટ) પોતાની નાવમાં શ્રીરામ સિવાય લક્ષ્મણ, સીતા તથા વિશ્વામિત્ર ઋષિને બેસાડવા તૈયાર છે, એણે સાંભળ્યું હતું કે એક ઋષિના શાપથી અહલ્યા પથ્થર બની ગઈ હતી, પણ શ્રીરામની ચરણરજના સ્પર્શથી એ ફરી સ્ત્રી બની ગઈ હતી. નાવિક વિચારે છે કે જો એ પોતાની નાવમાં રામને બેસાડે અને એમની ચરણરજના સ્પર્શથી એની નાવ પણ સ્ત્રી બની જાય તો
બે સ્ત્રીઓનું ભરણપોળ કેવી રીતે કરશે? એનું ભરપોષણનું એકમાત્ર સાધન નાવ જ છીનવાઇ જાય; પરંતુ વિશ્વામિત્ર ઋષિ કુનેહપૂર્વક નાવિકની મુંઝવણ દૂર કરવાનો ઉપાય સૂચવે છે અને એ રીતે એની મૂંઝવણ દૂર કરે છે. આમ, આ પદ નિર્દોષ નાવિકનું ભોળપણ, વિશ્વામિત્રની કુનેહ અને શ્રીરામના મર્માળા હાસ્યથી વિશેષ રસપ્રદ બન્યું છે.
શબ્દાર્થ
[પૃષ્ઠ 1] નાવિક – કેવટ, ખલાસી. વળતો – સામો, (અહીં) પછી. સ્વામ – સ્વામી, નાથ (અહીં ‘શ્રીરામ'). સહુકે – સૌ કોઈ. નાવે –નાવમાં. વાર્તા – (અહીં) કથા, પ્રસંગ. ચરણરેણ – ચરણરજ, પગની રજ (ધૂળ). અહલ્યા – એક પૌરાણિક સ્ત્રીપાત્ર, ગૌતમ ઋષિનાં શાપિત પત્ની. સહી –ખરી, સાચી. પાષાણ – મોટો પથ્થર, શિલા. ફીટવું – મટવું (માંથી), (અહીં) બનવું, થઈ જવું. નાર –સ્ત્રી. આજીવિકા – ભરણ
પોષણ, ગુજરાન. એહૈ – એ જ. કાષ્ઠ –લાક. મલિને – મળીને, સાથે પેર – પેરવી, તજવીજ, વ્યવસ્થા. વિશ્વામિત્ર -એક ધિ શ્રીગમના ગુરુ. પખાળવું – (અહીં પાણીથી) ધોવું. પાય – પગ, ચલ. દેશ – નીચે અશરણશર્ણ – અશરણના શરણરૂપ, નિરાધારનો આધાર અહીં ‘શ્રીરામ'), લેઈને – લઈને, ચર્ણ – ચરણ, પગ.
કાવ્યની સમજૂતી
(શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિ નાવિક પાસે ગયા અને સૌને નાવમાં બેસાડીને ગંગા પાર કરાવવા કહ્યું) ત્યારે નાવિકે કહ્યું, ‘‘મારા સ્વામી, હું તમારી સાથેના સૌ કોઈને નાવમાં બેસાડીશ, પણ શ્રીરામને નહિ બેસાડું.” [1 -2]
મેં વાર્તા (કથા) સાંભળી છે તમારા ચરણરજનો (મહિમા) અપાર છે. અહલ્યા નામની સ્ત્રી (શ્રીરામની ચરણરજના સ્પર્શથી) પાષાણમાંથી સ્ત્રી થઈ ગઈ હતી. [3-4]
મારી આજીવિકાનું સાધન આ (નાવ) જ છે. તમે વિવેકપૂર્વક વિચારો. લાકડું હોય કે પાષાણ બંને એક જ છે. એને સ્ત્રી થતાં સહેજે વાર નહિ લાગે. [5-6]
મારી આજીવિકા બંધ થઈ જાય. ઘરમાં એક સ્ત્રી (પત્ની) તો પહેલેથી છે જ. (એમાં વળી બીજી સ્ત્રી થાય તો) એ બંને ને શું જમે? (એ બંનેનું ભરણપોષણ કેમ કરવું?) એ બંને માટે વ્યવસ્થા શી કરું? (7-8)
(આ સાંભળીને) વિશ્વામિત્ર હસીને બોલ્યા, ‘‘ચરણરજના સ્પર્શથી સ્ત્રી થાય તો (એમ કરો) હિર(શ્રીરામ)ના પાય (ચરણ) ગંગાજળથી ધોઈ લો!'' [9 - 10]
પછી હસીને હિર, અશરણના શરણ એવા શ્રીરામ નીચે બેઠા. ત્યાં નાવિકે ગંગાજળથી તેમનાં ચરણ પખાળ્યાં. [11-12]
પ્રશ્નોત્તર
* પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તર (આશરે 100 શબ્દોમાં) ઉત્તર લખો :
( 1 ) મુદ્દાસર નોંધ લખો : નાવિકનું ભક્તહૃદય
ઉત્તર : નાવિક ભોળો હતો. તે શ્રીરામનો પરમ ભક્ત હતો. ગંગા નદી પાર કરવા એની પાસે શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવ્યાં. સૌને નદી પાર કરવા જણાવ્યું, પણ એનું ભક્તહૃદય એક વિમાસણમાં મુકાઈ ગયું. જો એ શ્રીરામને પોતાની નાવમાં બેસાડે અને નાવ સ્ત્રી બની જાય તો? કેમ કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા શ્રીરામની ચરણરજથી જીવિત સ્ત્રી બની ગઈ હતી એ પ્રસંગ નાવિકે સાંભળ્યો હતો. એની આજીવિકા છીનવાઈ જાય એ એને પરવડે તેમ નહોતું. વળી ધ૨માં એક સ્ત્રી તો હતી જ, એમાં વળી બીજી સ્ત્રી આવે તો બંનેના ભરણપોષણની વ્યવસ્થા કેવી રીતે કરવી એ પણ એની મૂંઝવણ હતી. પછી એણે વિશ્વામિત્રે સૂચવેલા ઉપાય પર વિશ્વાસ મૂક્યો; કેમ કે એ શ્રીરામનો મહિમા જાણતો હતો. એણે ભક્તિભાવપૂર્વક શ્રીરામનાં ચરણ ગંગાજળથી પખાળ્યાં. આ નિમિત્તે નાવિકને શ્રીરામનાં ચરણ પખાળવાની તક મળી.
નોંધ : જે પ્રશ્નોની આગળ * ચિહ્ન મૂકવામાં આવ્યું છે એ સ્વાધ્યાયના પ્રશ્નો છે. એ સિવાયના વધારાના અગત્યના પ્રશ્નો છે.
ગુજરાતી : ધોરણ 11
( 2 ) નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? ઉત્તર : નાવિકે સાંભળ્યું હતું કે શ્રીરામની ચરણ૨જનો મહિમા અપાર છે. એમની ચરણરજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. ષિના શાપથી પથ્થર બની ગયેલી અહલ્યા શ્રીરામની ચરણરજના સ્પર્શથી સ્ત્રી બની ગઈ હતી. આથી નાવિકની મૂંઝવણ એ હતી કે એની હોડી ભલે કાષ્ઠની હોય, પણ કાષ્ઠ હોય કે પાષાણ બંને એક જ કહેવાય, એટલે જો એ શ્રીરામને પોતાની હોડીમાં બેસાડે તો શ્રીરામની ચરણરજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જાય તો શું કરવું? આ હોડી જે એની આજીવિકાનું સાધન છે તે જ છીનવાઈ જાય. આમેય એક પત્ની (સ્ત્રી) તો ઘરમાં છે. એમાં વળી બીજી સ્ત્રી આવે તો બંને ખાય શું? એ બંનેના ભરણપોષણની વ્યવસ્થા શી રીતે કરવી? આથી નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને પોતાની હોડીમાં બેસાડવા તૈયાર થાય છે, પણ એણે શ્રીરામને હોડીમાં બેસાડવાની ના પાડી દીધી.
* પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો : ( 1 ) નાવિકે શો વાંધો ઉઠાવ્યો?
અથવા
નાવિકે રામને હોડીમાં બેસાડવાની કેમ ના પાડી?
ઉત્તર : નાવિકે એ વાંધો ઉઠાવ્યો કે એ પોતાની હોડીમાં શ્રીરામને નહિ બેસાડે, કેમ કે એમની ચરણરજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જશે. વળી એક સ્ત્રી તો ઘરમાં છે જ અને વળી બીજી સ્ત્રી આવે તો એ બંનેને જમાડે શી રીતે? એ બંનેના ભરણપોષણની શી વ્યવસ્થા કરે? આથી નાવિકે રામને હોડીમાં બેસાડવાની ના પાડી.
વિશ્વામિત્ર શો ઉપાય સૂચવે છે? ઉત્તર : નાવિકના વાંધાનો વિશ્વામિત્ર એ ઉપાય સૂચવે છે કે નાવિક શ્રીરામનાં ચરણ ગંગાજળથી પખાળે, જેથી એમના ચરણમાં સહેજ પણ રજ રહે નહિ અને એની હોડી સ્ત્રી ન બની જાય.
( 2 ) નાવિકના વાંધાનો
(8) નાવિકે રામના પગ કેમ પખાળ્યા?
ઉત્તર : નાવિકની વિમાસણ દૂર કરવા વિશ્વામિત્રે નાવિકને રામના પગ ગંગાજળથી પખાળવાનું સૂચવ્યું. નાવિકને વિશ્વામિત્રના શબ્દોમાં વિશ્વાસ હતો. આથી નાવિકે રામના પગ ગંગાજળથી પખાળ્યા.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :
( 1 ) નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે ? ઉત્તર : નાવિકસીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે.
* ( 2 ) નાવિકે અગાઉ કઈ બાબત વિશે સાંભળ્યું હતું?
ઉત્તર : શ્રીરામની ચરણરજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. શ્રીરામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું.
( 3 ) નાવિકની આજીવિકા શાને લીધે જતી રહેશે
? ઉત્તર : શ્રીરામની ચરણરજના સ્પર્શથી નૌકા સ્ત્રી બની જાય, નાવિકની આજીવિકાનું એકમાત્ર સાધન હોડી જતી રહેશે. ( 4 )
અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? ઉત્તર : અંતે શ્રીરામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે.
( 5 ) નાવિકે શાના વડે રામનાં ચરણ પખાળ્યાં?
ઉત્તર : નાવિકે ગંગાજળ વડે રામનાં ચરણ પખાળ્યાં.
( 6 ) કવિએ શ્રીરામને કેવા કહ્યા છે?
ઉત્તર : કવિએ શ્રીરામને અશરણશરણ અર્થાત નિરાધારના આધારે કહ્યા છે.
(7) ‘નાવિક વળતો બોલિયો' કાવ્યમાં નાવિના હ્રદયનો કો ભાવ વ્યક્ત થયો છે?
ઉત્તર : ‘નાવિક વળતો બોલિયો' કાવ્યમાં નાવિકના હૃદય શ્રીરામ પ્રત્યેનો ભક્તિભાવ વ્યક્ત થયો છે.
(8) ‘નાવિક વળતો બોલિયો' કાવ્યના કેન્દ્રમાં કર્યો પ્રસંગ છે? ઉત્તર : ‘નાવિક વળતો બોલિયો' કાવ્યના કંન્દ્રમાં રામાયલનો કેવટ પ્રસંગ છે.
( 9 ) પાષાણમાંથી જે સ્ત્રી થઈ તેનું નામ શું હતું?
ઉત્તર : પાષાણમાંથી જે સ્ત્રી થઈ તેનું નામ અહલ્યા હતું.
(10) ‘નાવિક વળતો બોલિયો' કાવ્યમાં કયા ષિનું નામ આવે છે?
ઉત્તર : ‘નાવિક વળતો બોલિયો' કાવ્યમાં ઋષિ વિશ્વામિત્રનું નામ આવે છે.
પ્રશ્ન 4. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિક્લ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
1. ‘નાવિક વળતો બોલિયો' કૃતિનું કાવ્યસ્વરૂપ દર્શાવો.
A. ભજન B. ૫દ
C. ગીત D. કાફી
2. ‘નાવિક વળતો બોલિયો' કૃતિના કવિનું નામ જણાવો. A. ભાલણ B. પ્રેમાનંદ C. શામળ D. નરસિંહ મહેતા
3. નાવિકની આજીવિકાનું સાધન કયું છે?
A. ગંગા B. અહલ્યા C. પાષાણ D. નાવ
ઉત્તર : 1. પદ 2. ભાલણ 3. નાવ
વ્યાકરણ
1.કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્યરૂપાંતર કરો
હું શી કરું તાં પેર?ભાવેવાક્ય બનાવો.)
ઉત્તર : મારાથી શી કરાય તાં પેર?
2. કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્યરૂપાંતર કરો
( 1 ) વાર્તા મેં સાંભળી છે.(નિષેધવાક્ય બનાવો.)
(2) નાવિકે ગંગાજળ લેઈને પખાળ્યાં તાં ચર્ણ.(સંભાવનાર્થ વાક્ય બનાવો.)
ઉત્તર : ( 1 ) વાર્તા મેં સાંભળી નથી.
( 2 ) નાવિક ગંગાજળ લેઈને પખાળશે તાં ચર્ણ.
3. નીચેનાં વાક્યોમાં પ્રત્યયો ખોટા વપરાયા હોય તો સુધારીને લખો :
( 1 ) હસીથી હિર હેઠા બેઠા.
( 2 ) બે મળીની શું જમે?
ઉત્તર : ( 1 ) હસીને હિર હેઠા બેઠા.
(2) બે મળીને શું જમે?
4. નીચેના શબ્દોના અર્થભેદ લખો :
( 1 ) સાંભરી – સાંભળી
( 2 ) નાર – નાળ
(૩) ભાગ – ભાગ્ય
( 4 ) જુઓ – જૂઓ – જૂવો
( 5 ) આગે – આવે
( 6) વાર – વાળ
ઉત્તર : ( 1 ) સાંભરી – યાદ કરી | સાંભળી – શ્રવણ કરી
( 2 ) નાર – સ્રી | નાળ – લાંબી પોલી નળી
( 3 ) ભાગ – હિસ્સો / ભાગ્ય – નસીબ
( 4 ) જુઓ – દેખો / જૂઓ – ‘જૂ’નું બહુવચન / જૂવો – એક જીવડું
(નોંધ : કાવ્યમાં ‘જૂઓ’ – ‘જુઓ’ના અર્થમાં છે.)
( 5 ) આગે – આગળ / આષે – દૂર
( 6 ) વાર – વખત | વાળ – કેશ
5. નીચે વિભાગ ‘અ’માં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો વિભાગ
‘બ’માંથી શોધીને લખો :
(1)
વિભાગ ‘અ’
1. પાષાણ
2. ચરણ
વિભાગ ‘બ’
– પાય, પગ
– ખરેખર, સાચે
– પથ્થર, પહાણો
ઉત્તર : 1. પાષાણ – પથ્થર,
પહાણો
2. ચરણ – પાય, પગ
(2)
વિભાગ ‘અ’
વિભાગ ‘બ’
1. ફાષ્ઠ
– સુકાની, ખલાસી
2. નાવિક
– સ્વામી, પતિ
– લાકડું, ઈંધણ
ઉત્તર : 1. કાષ્ઠ – લાકડું, ઈંધણ
2. નાવિક – સુકાની, ખલાસી
(૩)
વિભાગ ‘અ’
1. નાર
2. હેઠા
વિભાગ ‘બ’
– સહુ, બધા
_વાના, પ્રમદા
– તળે, નીચે
ઉત્તર : 1. નાર – વામા, પ્રમદા
2. હેઠા – તળે, નીચે
(6)..નીચે આપેલા શબ્દોના અર્થ આપો ઃ
( 1 ) ચરણરજ ( 2 ) ફીટી ( 3) પખાળો ( 4 ) ચર્ણ
ઉત્તર : ( 1 ) પગની કધૂળ
(2) (માંથી) બની, થઈ
( ૩) પાણીથી – ધુઓ
( 4 ) પગ, ચરણ
7.
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી
શબ્દો લખો :
.
( 1 ) વિવેક ( 2 ) હસવું
( 3) ત્યાં
ઉત્તર : ( 1 ) વિવેક x અવિવેક ( 2 ) હસવું × રોવું (૩) ત્યાં × અહીં
8.
નીચે આપેલા શબ્દો માટે યોગ્ય શબ્દસમૂહ લખો :
( 1 ) આજીવિકા – ગુજરાન કે તેનું સાધન
( 2 ) અહલ્યા – એક પૌરાણિક પાત્ર – ગૌતમ ઋષિનાં શાપિત
પત્ની
( 3) અશરણશર્ણ – અશરણના શરણરૂપ
( 4 ) વિશ્વામિત્ર – એક ઋષિ – શ્રીરામના ગુરુ
9. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપો :
( 1 ) સહુકે
( 2 ) સહી ( 3 ) ભાગે
( 4 ) ચરણરેણ
( 5 ) લેઈને
( 6 ) તાં ( 7 ) એહે ( 8) શર્ણ ( 9 ) પેર
ઉત્તર : ( 1 ) સૌ કહે
( 2 ) ખરેખરી, સાચી ( 3 ) તૂટે ( 4 ) ચરણરજ
( 5 ) લઈને (
6 ) ત્યાં (7) એ જ (8) શરણ (9) પેરવી
10.
નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરી લખો :
(
( 1 ) પાશાણ ( 2 ) આજિવીકા (૩) કાષ્ટ ( 4 ) વિસ્વામીત્ર
ઉત્તર : ( 1 ) પાષાણ ( 2 ) આજીવિકા (૩) કાષ્ઠ ( 4 ) વિશ્વામિત્ર
11.
નીચેના વાક્યમાં વિરામચિહ્નોનો ઉપયોગ કરી, વાક્ય ફરી
લખો :
સાથ સહુકે નાવે બેસો નહીં બેસારું રામ
ઉત્તર : સાથ સહુકે નાવે બેસો, નહીં બેસારું રામ.
12.
નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો :
( 1 ) આજીવિકા ભાગવી – ભરણપોષણનું સાધન બંધ થવું
વાક્ય : ઉદ્યોગધંધા બંધ થતાં અનેક લોકોની આજીવિકા ભાગી
પડી.
( 2 ) પગ પખાળવા –પવિત્ર ભાવથી પાણી વડે પગ ધોવા,
માન આપવું
વાક્ય : અમારા કુટુંબમાં ગુરુ ઘેર પધારે ત્યારે પગ પખાળવાનો
રિવાજ છે.
1. નાવિક વળતો બોલિયો
વિભાગ ‘બ’
વ્યાકરણ
1. કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્યરૂપાંતર કરો
ઃ હું શી કરું તાં પેર? ઉત્તર : મારાથી શી કરાય તાં પેર? (ભાવેવાક્ય બનાવો.)
2. કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્યપરિવર્તન ( 1 ) વાર્તા મેં સાંભળી છે. ( 2 ) નાવિકે ગંગાજળ લેઈને પખાળ્યાં તાં ચર્ણ. કરો ઃ (નિષેધવાક્ય બનાવો.)
(સંભાવનાર્થ વાક્ય બનાવો.)
ઉત્તર : ( 1 ) વાર્તા મેં સાંભળી નથી. ( 2 ) નાવિક ગંગાજળ લેઈને પખાળશે તાં ચર્ણ.
3. નીચેનાં વાક્યોમાં પ્રત્યયો ખોટા વપરાયા હોય તો સુધારીને લખો : ( 1 ) હસીથી હિર હેઠા બેઠા.
( 2 ) બે મળીની શું જમે?
ઉત્તર : ( 1 ) હસીને હિર હેઠા બેઠા.
(2) બે મળીને શું જમે?
4. નીચેના શબ્દોના અર્થભેદ લખો :
( 1 ) સાંભરી – સાંભળી
(૩) ભાગ – ભાગ્ય
(2) નાર – • નાળ
(5) આગે – આવે
( 4 ) જુઓ – જૂઓ – જૂવો
( 6 ) વાર – . – વાળ
ઉત્તર : ( 1 ) સાંભરી – યાદ કરી | સાંભળી – શ્રવણ કરી
( 2 ) નાર – સ્રી | નાળ – લાંબી પોલી નળી
(૩) ભાગ – હિસ્સો | ભાગ્ય – - નસીબ
( 4 ) જુઓ – દેખો / જૂઓ – ‘જૂ’નું બહુવચન / જૂવો – એક જીવડું
(નોંધ : કાવ્યમાં ‘જૂઓ’ – ‘જુઓ’ના અર્થમાં છે.) ( 5 ) આગે – આગળ | આઘે – દૂર ( 6 ) વાર – વખત / વાળ – કેશ
5. નીચે વિભાગ ‘અ’માં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો વિભાગ ‘બ'માંથી શોધીને લખો :
વિભાગ ‘અ’
(1) વિભાગ ‘અ’ વિભાગ ‘બ’ 1. પાષાણ 2. ચરણ ઉત્તર : 1. પાષાણ – પથ્થર, પહાણો 2. ચરણ – પાય, પગ (2) વિભાગ ‘અ’ 1. કાષ્ઠ 2. નાવિક – પાય, પગ – ખરેખર, સાચે – પથ્થર, પહાણો વિભાગ ‘બ’ – સુકાની, ખલાસી – સ્વામી, પતિ – લાકડું, ઈંધણ
ઉત્તર : 1. કાષ્ઠ – લાકડું, ઈંધણ 2. નાવિક – સુકાની, ખલાસી
(3)
1. નાર
2. હેઠા
– સહુ, બધા
– વામા, પ્રમદા
– તળે, નીચે
ઉત્તર : 1. નાર - વામો, પ્રમદા
2. હેઠા – તળે, નીચે
6. નીચે આપેલા શબ્દોના અર્થ આપો :
( 1 ) ચરણરજ ( 2 ઉત્તર : ( 1 ) પગની કળ (2) (માંથી) બની, થઈ ( ૩ ) પાણીથી – ધુઓ ( 4 ) પગ, ચરણ
) ફીટી ( 3) પખાળો ( 4 ) ચર્ણ
7. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
( 1 ) વિવેક ( 2 ) હસવું ( 3 ) ત્યાં
ઉત્તર : ( 1 ) વિવેક x અવિવેક ( 2 ) હસવું × રોવું (૩) ત્યાં × અહીં ×
8. નીચે આપેલા શબ્દો માટે યોગ્ય શબ્દસમૂહ લખો : ( ( 1 ) આજીવિકા – ગુજરાન કે તેનું સાધન ( 2 ) અહલ્યા – એક પૌરાણિક પાત્ર – ગૌતમ ઋષિનાં શાપિત પત્ની
(3) અશરણશર્ણ – અશરણના શરણરૂપ 1 ( 4 ) વિશ્વામિત્ર – એક ઋષિ – શ્રીરામના ગુરુ
9. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપો :
( 1 ) સહુકે ( 2 ) સહી ( 3 ) ભાગે ( 4 ) ચરણરેણ ( 6 ) તાં ( 7 ) એહે ( 8 ) શ[ ( 9 ) પેર ( 5 ) લેઈને ઉત્તર : ( 1 ) સૌ કહે ( 2 ) ખરેખરી, સાચી (3) તૂટે ( 4 ) ચરણરજ ( 5 ) લઈને ( 6 ) ત્યાં (7) એ જ (8) શરણ (9) પેરવી
10. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરી લખો :
( 1 ) પાશાણ ( 2 ) આજિવીકા (૩) કાષ્ટ ( 4 ) વિસ્વામીત્ર ઉત્તર : ( 1 ) પાષાણ ( 2 ) આજીવિકા (૩) કાષ્ઠ ( 4 ) વિશ્વામિત્ર
11. નીચેના વાક્યમાં વિરામચિહ્નોનો ઉપયોગ કરી, વાક્ય ફરી લખો :
સાથ સહુકે નાવે બેસો નહીં બેસારું રામ
ઉત્તર : સાથ સહુકે નાવે બેસો, નહીં બેસારું રામ.
નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો ઃ
12.
( 1 ) આજીવિકા ભાગવી – ભરણપોષણનું સાધન બંધ થવું વાક્ય : ઉદ્યોગધંધા બંધ થતાં અનેક લોકોની આજીવિકા ભાગી પડી.
2 ) પગ પખાળવા – પવિત્ર ભાવથી પાણી વડે પગ ધોવામાન આપવું
( ,
વાક્ય : અમારા કુટુંબમાં ગુરુ ઘેર પધારે ત્યારે પગ પખાળવાનો રિવાજ છે.
7
No comments:
Post a Comment