એમ ઉગાર્યો ચંદ્રાસ (આખ્યાન-ખંડ)
પ્રેમાનંદ [સત્તરમી સદી]
કાવ્ય-પરિચય
પ્રેમાનંદરચિત ‘ચંદ્રહાસાખ્યાન'ના પંદરમા કડવામાં ચંદ્રહાસનું પાત્ર આવે છે. ચંદ્રહાસ મૃત્યુ પામ્યો નથી; પરંતુ જીવતો છે એની ધૃષ્ટબુદ્ધિ પ્રધાનને જાણ થાય છે ત્યારે તે ચંદ્રહાસને મારી નાખવાની યોજના વિચારે છે. એ ચંદ્રહાસ સાથે જ પોતાના પુત્ર મદનને એક પત્ર મોકલે છે. એમાં ચંદ્રહાસને ‘વિષ’ આપીને મારી નાખવાનું જણાવ્યું છે; પરંતુ ‘રામ રાખે તેને કોણ ચાખે?' ચંદ્રહાસ કૌંતલપુરને પાદર આવી વિશ્રામ કરી રહ્યો હતો. એવામાં ધૃષ્ટબુદ્ધિની પુત્રી વિષયા તેની સહિયરો સાથે ઉપવનમાં આવી. ત્યાં ગાઢ નિદ્રામાં સૂતેલા ચંદ્રહાસનું રૂપ જોઈ મંત્રમુગ્ધ થયેલી વિષયાને અચાનક ચંદ્રહાસની
કમરે બાંધેલો પત્ર જોયો. એને ઉત્સુકતા જાગી. હળવેકથી તેણે એ પત્ર ત્યાંથી સેરવી લીધો; પરંતુ એ પત્ર વાંચતાં જ વિષયા પિતાનું તરકટ જાણી ગઈ. કોઠાસૂઝ ધરાવતી વિષયાએ સમયસૂચકતા વાપરી. તરત જ તેણે પોતાની એક આંખનું કાજળ અને બીજી આંખનું પાણી લઈ તણખલા વડે પત્રમાં લખેલ ‘વિષ’ શબ્દમાં ‘યા’ અક્ષર ઉમેરી ‘વિષયા’ લખી ચંદ્રહાસને ઉગાર્યો. આમ, આ કડવામાં વિષયાની તત્કાળ નિર્ણય લેવાની કોઠાસૂઝ અને ચંદ્રહાસનું અલંકારોથી શણગારેલું સોહામણું રૂપ પ્રેમાનંદની ઉત્તમ વર્ણનશક્તિનું ઉદાહરણ છે.
શબ્દાર્થ
[પૃષ્ઠ 10] વિમાસવું – વિચારવું, મૂંઝવણ અનુભવવી. નર્ખ –નીરખું, જોઉં. કોય – કોઈ. હ્યાં – અહીંયા. સરસ્યું – સમીપ, નજીક. રખે – કદાચ. તુરી – અશ્વ, ઘોડો. નિદ્રા-વશ – નિદ્રામાં. અનુપમ – જેને ઉપમા ન આપી શકાય એવું, સર્વોત્તમ. રૂડું – સુંદર, ઉત્તમ. વાન – વર્ણ, રંગ. માનિની – અભિમાની સ્ત્રી, (અહીં) સ્વમાની સ્ત્રી. મુખમોરડો – પશુના મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું. ઉદયાચળ – ઉદયગિરિ, મેરુ પર્વત. ભાણ – ભાનુ, સૂર્ય. પેંગડું – ઘોડેસવા૨ જેમાં પગ રાખે તે કડું. પરમ – શ્રેષ્ઠ, ઉત્તમ. મનોહર – સુંદ૨. પલાણ – ઘોડાની પીઠ ઉપર મૂકવાની બેઠક. ચતુરા – ચતુર સ્ત્રી, (અહીં) વિષયા. ચંચળ – તરવરાટ. નયણે – આંખથી. જોય – જુએ. છુપી રહી – સંતાઈને. નેપૂર – નૂપુર, ઝાંઝર, પાયલ. અણવટ – સ્ત્રીઓનું પગના અંગૂઠામાં પહેરવાનું ઘરેણું. વીંછિયો – પગની આંગળીનું ઘરેણું. આભ્રણ – અલંકાર, આભૂષણ. નીવડવું – પરિણમવું. મરમ – મર્મ, રહસ્ય. ડગ – ડગલું . બગ – બગલો. શ્યામા – જુવાન સ્ત્રી, (અહીં) વિષયા. ઉલ્લાસ – આનંદ. હરિવદની – હિર (ચંદ્ર) જેવા મુખવાળી, અહીં) વિષયા. મજ – મારો. સ્વાસ – શ્વાસ. સાધુ – સંત, (અહીં) સજ્જન. પેખે – જુએ. પછે – પછી. પિછોડી – પછેડી, ઓઢવાની ચાદર. વદન – । – મુખ, ચહેરો. નખશિખા – પગથી માથા સુધી. હૈડામાં – હૈયામાં, હ્રદયમાં.
[પૃષ્ઠ 11] અભ્ર – વાદળ. અળગું થવું – દૂર થવું, અદૃશ્ય થવુ. ચંદ્રબિંબ – ચંદ્રનું પ્રતિબિંબ. ત્યમ – તેમ. સુવદનઅંબુજ – કમળ(અંબુજ)ના જેવા સુંદર મુખવાળો, (અહીં) ચંદ્રહાસ. ભ્રૂકુટિ – ભવું,
ભમ્મર. ભ્રમર – ભમરો. ગુંજાર – ગુંજારવ. શશિબિંબ – ચંદ્રનું પ્રતિબિંબ. પુઠે – પાછળ. શુકચંચા – પોપટની ચાંચ, (અહીં) પોપટની ચાંચ જેવું. અધરબિંબ અલંકૃત – હોઠની શોભા. શશી – ચંદ્ર. સવિતા – સૂર્ય. શ્રવણે – કાનમાં. શા – જેવા. કપોત – કબૂતર. કર – હાથ. કુંજર – હાથી. અંબુજવરણ – કમળના રંગનું બાંધે –બાવડા ૫૨. બાજુબંધ – હાથ પર પહેરવાનું ઘરેણું. બેરખા – કાંડા ઉપર પહેરવાનું ઘરેણું. મુદ્રિકા – મુદ્રા, વીંટી. આદે – આદિ, વગેરે, ઇત્યાદિ. હદે – હૃદયે. હેમ – સોનું. કિટ – કેડ, કમર. કેસરી – સિંહ. સરખી – જેવી. તારુણી – તરુણ કે જુવાન યુવતી, (અહીં) વિષયા. ભૂરકી – જાદુમંત્ર, મોહિની. તાત –પિતા. તંન – તનય, પુત્ર. દેહદમન – શારીરિક તપસ્યા. ભરથાર –પતિ. કભાય – કભા, ઓઢો, (અહીં) અંગરખા જેવું એક વસ્ત્ર. કસ – અંગરખું, બંડી વગેરે ભીડવાની નાની દોરી. શકે – કદાચ. સ્વસ્તિ – કલ્યાણકારી. મદન – કામદેવ. ઘરસૂત્ર – ઘરસંસાર, (અહીં) કુળ, ખાનદાન. મુહૂર્ત – શુભ અને માંગલિક સમય. ઘટી – ઘડી, ચોવીસ મિનિટ. વિષ – ઝેર. ત્રાહે ત્રાહે – રક્ષા કરો, રક્ષા કરો. ત્રિભુવનનાથ – સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણેય ભુવનના સ્વામી (ઈશ્વર). સાટે – બદલે, અવેજમાં કાજળ – મેશ, આંજણ . તરણું – તણખલું. ધીર – ધીરજ. અવિનાશ – અમર, અક્ષર, નિત્ય, (અહીં) કૃષ્ણ. ફેડવું – દૂર કરવું. ફરી બાંધ્યું – ફરી બંધ કર્યો. પ્રેમદા – પ્રેમ આપનાર સ્ત્રી, (અહીં) વિષયા. ન સૂઝવું – વિચાર ન આવવો, સમજ ન પડવી. -
કાવ્યની સમજૂતી
વિષયાએ વિચાર કર્યો : ‘હું આ પુરુષને (ધારીને) જોઉં,' પણ
હીં નજીકમા અન્ય પશુ, પક્ષી કે માનવ (દેખાતાં) નથી. [ 1 −2]
આ ચતુર અશ્વ રખે એના સ્વામીને કહી દેશે અને એ જાગી તો શું થશે! (એ) ગાઢ નિદ્રામાં છે. એને કેમ ઉઠાડું? પછી એને ાથી) શું કહેવાશે? [3-4]
હે અશ્વ, તું અતિ અનુપમ છે. તારો વાન (રંગ) પણ સુંદર છે. હું સ્વમાની (સ્ત્રી) તારી પાસે માગી લઉં છું કે રખે તું સ્વામીને મારી જાણ કરતો! (5-6)
તારું મુખમોરડું (તા૨ે મોઢે બાંધવાનું દોરડું) રત્નજડિત છે. જાણે મેરુ પર્વત (ઉદયાચળ) પર સૂર્ય ઊગ્યો! તારાં પેંગડાં અત્યંત મનોહર છે. તારું પલાણ પણ રત્નજડિત છે. [7-8]
(એ) ચંચળ આંખોથી જોતી ચતુરા (વિષયા) કહે છે : ‘૨ખે મારી કોઈ સખી સહિયર સંતાઈને જોતી તો નથી ને!' [9– 10]
સોનીએ નેપૂર, ઝાંઝર, અણવટ, વીંછિયા વગેરે અલંકારો ઘડ્યાં. પહેલાં તો એ અલંકારનો રણકાર મધુર લાગતો, પણ આજે જાણે એ શત્રુ બની ગયાં! [11-12]
એમ વિચારતી (વિષયા) મન દૃઢ કરી, ઝાંઝર ઊંચાં ચડાવી ચાલી. જળમાં બગલો ડગ ભરે એમ ધીમેથી ડગલાં ભરતી શ્યામા (વિષયા) ચંદ્રહાસ પાસે આવી. [13-14]
હરિવદની (ચંદ્રમુખી વિષયા) અતિ ઉલ્લાસ(આનંદ)થી હરખાઈને ચંદ્રહાસની પાસે બેઠી. મનમાં ચિંતા થઈ ઃ ‘રખે મારા શ્વાસના ધબકારથી આ સાધુ (ચંદ્રહાસ) જાગી જશે તો!' [15-16] :
‘રખે સહિયરો મને જોઈ જાય !' એટલે (સહિયરો) એમની નજરે ન ચડે એ રીતે એ ઊભી રહી. પછી પછેડી સહેજ ખસેડી (ચંદ્રહાસનો) ઢાંકેલો ચહેરો ખોલીને જોયું. [17-18]
એ (વિષયા) આંખોથી ચંદ્રહાસને નખશીખ જોતી રહી. હિરભક્ત ( ચંદ્રહાસ)ને જોઈ હરિવદની (વિષયા) હૈયામાં ખૂબ હરખાઈ. [19–20]
આકાશમાં વાદળાં દૂર થાય અને ચંદ્રનું પ્રતિબિંબ દેખાય એમ પછેડી દૂર કરતાં (જોયું તો) કુલિંદકુંવર(ચંદ્રહાસ)નું મુખ તેના જેવું જ હતું. [21-22]
કમળ જેવા સુંદર વદનની ભ્રૂકુટિ ઉપર ભમરા ગુંજારવ કરે છે. ચંદ્રબિંબની પાછળ તારા હોય (ટમટમે) એમ (એના કંઠમાં) મોતીનો હાર શોભે છે. [23-24]
પોપટ(શુક)ની ઉત્તમ ચાંચ જેવું (એનું અણિયાળું નાક) છે. જાણે અધરબિંબથી શોભતું! કાનમાં શશી (ચંદ્ર) અને સવિતા (સૂર્ય) જેવાં કુંડળ શોભે છે, એના દાંત દાડમની કળી જેવા છે! [25 – 26]
એનો કંઠ કપોત (કબૂતર) જેવો છે, હાથ કુંજર(હાથી)ના જેવા, હથેળી કમલ(અંબુજ)ના રંગ જેવી, બાંયે બાજુબંધ બેરખા, (આંગળી પર) વીંટી ઇત્યાદિ અલંકારો શોભે છે. [27-28]
એના વિશાળ હૃદય પર સોનાનો હાર છે, એની કમર કેસરી સિંહના જેવી છે. એના રૂપ, રંગ અને તેજ (કાંતિ) જોઈ, જાણે તારુણી (વિષયા) પર પ્રેમની ભૂરકી નાખી! [29-30]
એનાં માતા-પિતાને ધન્ય છે. કોણે પુણ્ય કર્યાં હશે? જેણે હિમાલયમાં હાડ ગાળ્યાં હશે, સુખનો ત્યાગ કર્યો હશે એને જ આવો [ પુત્ર પ્રાપ્ત થયો હશે.[31 - 32]
જેણે જપ, તપ, વ્રત અને દેહદમન કર્યું હશે એવી તારુણી (યુવાન સ્ત્રી) એના ઘરની નારી (પત્ની) હશે. જે આવો ભરથાર (સ્વામી) પામી હશે તે નારી પરમ ભાગ્યશાળી હશે. [33-34]
મેં પાણિીએ એક પણ પુણ્ય કર્યું નથી તો પછી આવો સ્વામી (પતિ) મને ક્યાંથી મળવાનો? એવા વિચારથી દુઃખી થતી, આંસુ સારતી વિષયા ઉદાસ થઈ ગઈ. [35-36]
એવામાં (અચાનક) એણે એના (ચંદ્રહાસ) અંગરખાની કસ પર બાંધેલો કાગળ જોયો. (એમાં શું લખ્યું છે) એ જોવા માટે એણે તત્કા એ કાગળ ત્યાંથી છોડી લીધો. (37-38)
પિતાના સરનામાના અક્ષર જોઈ બાળા (વિષયા) ખૂબ ખુશ થઈ, ‘કદાચ પિતાએ જ મારા સ્વામી પર આ પત્ર લખીને મોકલ્યો હશે!39-40)
સ્વસ્તિ શ્રીકાંતલપુર ગામે, મદન કુંવર બળવંત, અહીં ચંદ્રાસ સાથે પત્ર મોકલ્યો છે. એ પત્ર (એમની પાસેથી) લેજો, ગુલવંત41-42)
(એનું) રૂપ ન જોશો, (એનો) રંગ ન જોશો, ન પૂછશો (એનું) કુળ, મુહૂર્ત કે ઘડી પણ કોઈને ન પૂછશો. પુત્ર, એને (ચંદ્રહાસને) વિષ દેજો. [43-44]
પત્ર વાંચીને વિષયા બોલી : હે ત્રિભુવનનાથ રક્ષા કરો, રા કરો. ‘વિષયા’ને બદલે ‘વિષ’ લખાયું : શું એમના હાથ કાપી નાખવા ન જોઈએ? [45-46]
પત્ર લઈ લઉં તો એ પાછો ચાલ્યો જાય. પરવું નહિ તો વિઘ્ન આવે. એમાં (પત્રમાં) એક અક્ષર ઉમેરું, ‘વિષ’નું કરી દઉં ‘વિષયા’. [47-48]
(વિષયાએ) એના એક નેત્રમાંથી કાજળ કાઢ્યું, બીજા નેત્રમાંથી નીર (જળ) લીધું અને તરણા(તણખલા)થી તારુણીએ હૈયે ધીરજ રાખીને લખ્યું. [49-50]
નારદ કહે : સાંભળ અર્જુન, કર્તાહર્તા અવિનાશ છે. વિષ(શબ્દ)ને કાઢી નાખી વિષયા કર્યું. આ રીતે ચંદ્રહાસને ઉગાર્યો. [51-52]
પ્રેમદા(વિષયા)એ ફરી એ પત્ર (ચંદ્રહાસની કમરે) બાંધ્યો. સજળ નયણે (વિષયા) ઊઠી. ત્યાંથી અબળા (વિષયા) ચાલી, મુખે વેણ કહેતી : (53-54)
ઘેર જઈને વાટ જોઉં છું, ઉતાવળા તમે આવો. મદનભાઈને મળજો સ્વામી, પત્ર લખ્યો તે (સાથે) લાવજો. [55-56)
વલણ
‘પત્ર લખ્યો તે (સાથે) લાવો, સ્વામી,' એમ કહીને વિષા ત્યાંથી વળી. (એનું શરીર) થરથર ધ્રૂજે છે ને મનમાં કાંઈ સૂઝતુ નથી. એવામાં સખીઓ સામી મળી. (57-58)
૩. એમ ઉગાર્યો ચંદ્રહાસ
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના ઉત્તર લખો : પ્રશ્નોના સવિસ્તર (આશરે 100 શબ્દોમાં)
* ( 1 ) ચંદ્રહાસનું પાત્રાલેખન કરો.
ઉત્તર : ચંદ્રહાસ એક સોહામણો યુવાન છે. તેના કમળ જેવા સુંદર મુખની ભ્રૂકુટિ ઉપર ભમરા ગુંજારવ કરે છે. ચંદ્રબિંબની પાછળ તારા શોભે એમ એના ગળામાં મોતીનો હાર શોભે છે. પોપટની ચાંચ જેવું એનું નાક તેના અધરબિંબને શોભાવે છે. તેના કાનમાં ચંદ્ર અને સૂર્ય જેવાં કુંડળ શોભે છે. તેના દાંત દાડમની કળી જેવા છે. તેનો કંઠ કપોત જેવો, હાથ કુંજર (હાથી) જેવા અને હથેળી કમળના રંગ જેવી છે. તેણે બાંય પર બાજુબંધ, બેરખા અને આંગળીમાં વીંટી ઇત્યાદિ ઘરેણાં પહેર્યાં છે. ચંદ્રહાસનાં આવાં રૂપ, રંગ અને તેજથી અંજાઈ ગયેલી વિષયા પર જાણે પ્રેમની ભૂરકી નાખી ન હોય ! આવા સોહામણા ચંદ્રહાસ સાથે લગ્ન કરવા વિષયા ઉતાવળી થઈ.
કવિ પ્રેમાનંદે ચંદ્રહાસના દેહસૌંદર્યને ઉપમા, રૂપક અને ઉત્પ્રેક્ષા અલંકારથી શણગારીને તેની કમનીય કાયાનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે. તેના સૌંદર્યની મુક્તકંઠે પ્રશંસા કરી છે.
( 2 ) વિષયાનું પાત્રાલેખન કરો.
▸ ઉત્તર : વિષયા ધૃષ્ટબુદ્ધિ પ્રધાનની પુત્રી છે. તેને મદન નામે એક ભાઈ છે. વિષયા ચતુર અને ચંચળ યુવતી છે. તે એની સહિયરો સાથે ઉપવનમાં ફરવા નીકળી ત્યારે ત્યાં ગાઢ નિદ્રામાં સૂતેલા ચંદ્રહાસનાં રૂપસૌંદર્યથી અંજાઈ જાય છે. ચંદ્રહાસની નજીક જવા ઇચ્છતી વિષયા પોતાની સહિયરો તેને સંતાઈને ન જુએ તેની પણ કાળજી લે છે. એટલું જ નહિ ચંદ્રહાસ જાગી ન જાય એની સાવધાની રાખે છે. એ માટે પોતાના પગનાં ઝાંઝર ઊંચાં ચડાવી, જળમાં બગલો ચાલે તેમ તે હળવેથી ડગલાં ભરે છે. ચંદ્રહાસનાં રૂપ, રંગ અને તેજ પર એ વારી જાય છે. એને થાય છે કે જાણે એના પર પ્રેમની ભૂરકી નાખી! એ વિચારે છે કે જે નારીએ જપ, તપ, વ્રત અને દેહદમન કર્યાં હશે એને જ આવો ભરથાર મળે. પોતે તો એવી ભાગ્યશાળી નથી, પુણ્ય કર્યાં નથી એટલે પાપણી છે. એને આવો રૂપાળો સ્વામી ક્યાંથી મળવાનો? પણ વિષયા ચકોર છે. અચાનક ચંદ્રહાસની કમરે બાંધેલો પત્ર હળવેકથી છોડી લઈ તે વાંચે છે. એમાં પિતાએ પુત્રને સંદેશ આપ્યો છે કે ચંદ્રહાસને વિષ આપી મારી નાખે. પિતાનો આ સંદેશો વાંચતાં જ તે છણકો કરે છે : આવું લખતાં પિતાના હાથ કપાઈ જવા જોઈએ.
વિષયામાં કોઠાસૂઝ છે. તે તત્ક્ષણ સમયસૂચકતા વાપરે છે. પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લે છે અને તણખલા વડે ‘વિષ’ શબ્દમાં ‘યા’ અક્ષર ઉમેરી ‘વિષયા’ કરી, પત્ર ચૂચાપ ચંદ્રહાસની કમરમાં ભેરવી દે છે. આમ, વિષયા ચંદ્રહાસને મૃત્યુમાંથી અદ્ભુત રીતે ઉગારી લે છે અને ધૃષ્ટબુદ્ધિની યોજનાને નિષ્ફળ બનાવવામાં તે સફળ થાય છે. આમ, વિષયા ચંદ્રહાસ સાથે પરણવા તૈયાર થાય છે.
( 3 ) ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને વિષયા શોક શા માટે અનુભવે છે?
ઉત્તર : ચંદ્રહાસનું મનોહર રૂપ જોતાં જ વિષયા તેનાથી મોહાઈ જાય છે; પરંતુ તે તત્ક્ષણ વિચાર કરે છે કે જેણે જપ, તપ, વ્રત અને દેહદમન કર્યાં હોય તે જ એના ઘરની નાર હોય. જે ભાગ્યશાળી હશે તેને જ આવો સુંદર ભરથાર મળશે. પોતે એક પણ પુણ્ય કર્યું નથી, તો આવો ભરથાર ક્યાંથી મળવાનો? આવા વિચારથી વિષયા દુઃખી થઈ જાય છે અને ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને શોક અનુભવતી આંસુ સારે છે.
( 4 ) ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચી વિષયાએ શી પ્રતિક્રિયા આપી ઉત્તર : વિષયાએ ચંદ્રહાસ પાસેનો પત્ર વાંચ્યો. એમાં તેના પિતાએ : ચંદ્રહાસને વિષ આપી મારી નાખવાની વાત પુત્રને લખેલી. પિતાનો આ સંદેશો વાંચતાં જ તે છણકો કરે છે ઃ આવું લખતા પિતાના હાથ કપાઈ જવા જોઈએ. જોકે, વિષયામાં કોઠાસૂઝ છે. તે તત્ક્ષણ સમયસૂચકતા વાપરે છે. પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લે છે અને તણખલા વડે ‘વિષ’ શબ્દમાં ‘યા’ અક્ષર ઉમેરી ‘વિષયા’ લખી, એ પત્ર ચૂપચાપ ચંદ્રહાસની કમરમાં બાંધી દે છે.
* ( 5 ) ચંદ્રહાસ કેવી રીતે ઊગર્યો?
ઉત્તર : પત્રમાં પિતાએ પુત્ર મદનને ચંદ્રહાસને વિષ આપવાનું લખ્યું હતું. આ પત્ર વિષયાના હાથમાં આવતાં તેણે આ હકીકત જાણી. વિષયાએ તત્ક્ષણ સમયસૂચકતા વાપરી. પોતાની હૈયાસૂઝથી તરત જ તેના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે પત્રમાં લખેલ ‘વિષ’ શબ્દમાં ‘યા' અક્ષર ઉમેરી, વિષનું ‘વિષયા’ કરી નાખ્યું. આ રીતે ચંદ્રહાસ ઊગર્યો.
* ( 6 ) ચંદ્રહાસને જોઈને વિષયા કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે?
ઉત્તર : ચંદ્રહાસનાં રૂપ, રંગ અને તેજ પર વિષયા વારી જાય છે. તેને થાય છે કે જાણે તેના પર પ્રેમની ભૂરકી નાખી! એ ક્ષણે તેના મનમાં મંથન શરૂ થાય છે. જે નારીએ જપ, તપ, વ્રત અને દેહદમન કર્યાં હશે તેને જ આવો ભરથાર મળશે. પોતે તો એવી ભાગ્યશાળી નથી, પોતે પાપણી છે. તેણે તો એક પણ પુણ્ય કર્યું નથી તો પછી તેને આવો રૂપાળો સ્વામી ક્યાંથી મળવાનો? ચંદ્રહાસને જોઈને વિષયા આ પ્રકારનું મનોમંથન અનુભવે છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો : *( 1 ) ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરો.
ઉત્તર : પ્રેમાનંદે વિષયાના મુખે ચંદ્રહાસના ઘોડાના રૂપરંગની પ્રશંસા કરી છે. ચંદ્રહાસનો ઘોડો રંગે રૂપાળો છે. તેના મુખે બાંધવાનું દોરડાનું ગાળિયું રત્નજડિત છે. જાણે ઉદયાચળ ૫૨ સૂર્ય ઊગ્યો હોય ! તેનાં પેંગડાં સુંદર છે અને એનું પલાણ પણ રત્નજડિત છે.
( 2 ) ધૃષ્ટબુદ્ધિ પ્રધાને કાગળમાં શો સંદેશો લખ્યો છે?
ઉત્તર : ધૃષ્ટબુદ્ધિ પ્રધાને ચંદ્રહાસ સાથે મોકલેલ કાગળમાં પોતાના પુત્ર મદનને ઉદ્દેશીને સંદેશો લખ્યો છે કે ચંદ્રહાસનાં રૂપરંગ જોશો નહિ. તેના કુળ વિશે પણ પૂછશો નહિ. કોઈને મુહૂર્ત કે ઘડી વિશે પણ પૂછશો નહિ. (આ પત્ર વાંચીને તરત) ચંદ્રહાસને વિષ દેજો અર્થાત્ વિષ પીવડાવીને મારી નાખજો.
(૩) કવિ પ્રેમાનંદે નારદની ઉક્તિ દ્વારા પોતાના શ્રોતાઓને ભક્તિપૂર્વકની શી ખાતરી આપી છે?
ઉત્તર : કવિ પ્રેમાનંદે નારદની ઉક્તિ દ્વારા પોતાના શ્રોતાઓને ભક્તિપૂર્વક ખાતરી આપી છે કે કર્તાહર્તા અવિનાશી પરમાત્મા છે. જેમ ‘વિષ’નું ‘વિષયા' કરીને ચંદ્રહાસને ઉગાર્યો એમ પરમાત્મા કોઈ ને કોઈ ઉપાયે ભક્તોને ઉગારી લે છે.
( 4 ) કડવાના અંતે ‘વલણ’માં વિષયાની મનઃસ્થિતિ દર્શાવો.
ઉત્તર : કડવાના અંતે ‘વલણ’માં વિષયાની મનઃસ્થિતિ દર્શાવી છે. વિષયા ઇચ્છે છે કે સ્વામી (ચંદ્રહાસ) પત્રમાં લખ્યા પ્રમાણે લગ્નના સમાચાર લઈને આવે; પરંતુ ઉપવનમાંથી પાછી ફરતી વિષયા થરથર ધ્રૂજી રહી છે. તેને હવે શું કરવું તે સૂઝતું નથી.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :
* ( 1 ) વિષયા ચંદ્રહાસના ઉત્તર : વિષયા ચંદ્રહાસના ઘોડાનાં વખાણ કરે છે, કારણ કે વિષયા અહીં આવી છે એની જાણ ઘોડો સ્વામી(ચંદ્રહાસ)ને કરે એમ તે ઇચ્છે છે.
ઘોડાનાં વખાણ શા માટે કરે છે?
( 2 ) વિષયાને પોતાનાં આભૂષણ વેરી જેવાં શા માટે લાગે છે?
ઉત્તર : વિષયાને પોતાનાં આભૂષણ વેરી જેવાં લાગે છે, કારણ કે
તેને ડર છે કે કદાચ તેનાં આભૂષણના અવાજથી ચંદ્રહાસ જાગી જશે. જાય એ માટે વિષયાએ
( ૩ ) વિષયાએ પગમાં પહેરેલાં ઝાંઝર ઊંચાં કેમ ચડાવ્યાં? ઉત્તર : ઝાંઝરના રણકારથી ચંદ્રહાસ ઘેરી નિદ્રામાંથી જાગી ન પગમાં પહેરેલાં ઝાંઝર ઊંચાં ચડાવ્યાં.
( 4 ) વિષયા કોની જેમ ડગલાં ભરતી ચંદ્રહાસની નજીક આવી?
ઉત્તર : જળમાં બગલો ડગલાં ભરે એમ વિષયા ધીમેથી ડગલાં ભરતી ચંદ્રહાસની નજીક આવી.
(5) ચંદ્રહાસની નજીક બેઠેલી વિષયાના મનમાં શેની ચિંતા હતી?
ઉત્તર : ચંદ્રહાસની નજીક બેઠેલી વિષયાના મનમાં એ ચિંતા શ્વાસના ધબકારાથી સાધુ (ચંદ્રહાસ) જાગી જશે.
હતી કે રખે તેના
( 6 ) ચંદ્રહાસનાં રૂપરંગ અને તેજની તરુણી (વિષયા) પર શી અસર થઈ?
ઉત્તર : ચંદ્રહાસનાં રૂપરંગ અને તેજની તરુણી (વિષયા) પર પ્રેમની ભૂરકી નાખી હોય એવી એ મંત્રમુગ્ધ થઈ ગઈ.
(7 ) ચંદ્રહાસ જેવો ભરથાર કેવી નારીને મળે?
ઉત્તર : જે નારીએ જપ, તપ, વ્રત અને દેહદમન કર્યાં હોય તેને ચંદ્રહાસ જેવો ભરથાર મળે.
( 8 ) વિષયા શા માટે માને છે કે તેને ચંદ્રહાસ જેવો ભરથાર નહિ મળે?
ઉત્તર : વિષયા પોતાને પુણ્યશાળી નહિ, પણ પાપિણી સમજે છે. તેથી તે માને છે કે તેને ચંદ્રહાસ જેવો ભરથાર નહિ મળે.
( 9 ) વિષયાએ ચંદ્રહાસના અંગરખાની કસ પાસે શું જોયું? ઉત્તર : વિષયાએ ચંદ્રહાસના અંગરખાની કસ પાસે એક પત્ર બાંધેલો જોયો.
(10) ધૃષ્ટબુદ્ધિએ કોની સાથે પત્ર મોકલ્યો હતો?
ઉત્તર : ધૃષ્ટબુદ્ધિએ ચંદ્રહાસ સાથે પત્ર મોકલ્યો હતો.
* (11) ધૃષ્ટબુદ્ધિ પ્રધાને કાગળમાં શો સંદેશો લખ્યો હતો ? ઉત્તર : ધૃષ્ટબુદ્ધિ પ્રધાને ચંદ્રહાસને ‘વિષ’ દેવાનો સંદેશો લખ્યો હતો.
(12) ચંદ્રહાસને બચાવવા વિષયા પત્રમાં કેવો ફેરફાર કરે છે?
ઉત્તર : ચંદ્રહાસને બચાવવા વિષયા પત્રમાં લખેલ ‘વિષ’ શબ્દમાં ‘યા’ અક્ષર ઉમેરીને ‘વિષ’નું ‘વિષયા’ એવો ફેરફાર કરે છે.
* (13) વિષયાએ વિષનું ‘વિષયા’ કેવી રીતે કર્યું?
ઉત્તર : વિષયાએ પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે ‘વિષ’ શબ્દમાં ‘યા’ અક્ષર ઉમેરી ‘વિષયા’ કર્યું.
પ્રશ્ન 4. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
1. ‘એમ ઉગાર્યો ચંદ્રહાસ' કાવ્યનું સ્વરૂપ જણાવો.
A. પદ B. ગરબીC. આખ્યાન-ખંડ D. કાફી
2. ‘એમ ઉગાર્યો ચંદ્રહાસ' કાવ્યના કવિનું નામ જણાવો.
A. નરસિંહ મહેતા B. શામળ C.દયારામ D. પ્રેમાનંદ
૩. પ્રેમાનંદ કયા આખ્યાનનો આ કૃત એક ભાગ છે?
A. ઓખાહરણ B. અભિમન્યુ આખ્યાન D. સુદામાચરિત C. ચંદ્રહાસાખ્યાન
4. પ્રસ્તુત આખ્યાનખંડના પ્રકરણ માટે કયો શબ્દ વપરાયો છે?
A. કડવું B. અંગ C. વલણ D. ગોડી
ઉત્તર : 1. આખ્યાન-ખંડ 2. પ્રેમાનંદ 3. ચંદ્રહાસાખ્યાન 4. કડવું
3. એમ ઉગાર્યો ચંદ્રહાસ
વ્યાકરણ
1. કૌસમાં દર્શાવ્યા મુજબ વાક્યરૂપાંતર કરો ઃ
( 1 ) પત્ર ફરી પ્રેમદાએ બાંધ્યું. (કર્મણિવાક્ય બનાવો.)
( 2 ) વાંચી પત્રને વિષયાથી બોલાયું : ‘ત્રાહે ત્રાહે, ત્રિભુવનનાથ.' (કર્તરિવાક્ય બનાવો.)
(3) હું ઘેર જઈને વાટ જોઉં છું. (ભાવેવાક્ય બનાવો.)
( 4 ) યૌવનાએ કાગળ તત્ક્ષણ છોડીલીધો.
(કર્મણિવાક્ય બનાવો.)
( 5 ) વિષયાથી વિમાસી જોવાયું.(ભાવેવાક્ય બનાવો.)
ઉત્તર : ( 1 ) પત્ર ફરી પ્રેમદાથી બંધાયો.
( 2 ) વાંચી પત્રને વિષયા બોલી : ‘ત્રાહે ત્રાહે, ત્રિભુવનનાથ.' (3) મારાથી ઘેર જઈને વાટ જોવાય છે.
(4) યૌવનાથી કાગળ તત્ક્ષણ છોડી લેવાયો.
( 5 ) વિષયાએ વિમાસી જોયું.
2. કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્યપરિવર્તન કરો ઃ
( 1 ) પ્રથમ વાજતાં રૂડાં લાગતાં, આજ શત્રુ થઈ નીવિડયાં.
ઉદ્ગારવાક્ય બનાવો.)
2 ) પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી.(સંભાવનાર્થ વાક્ય બનાવો.)
(૩) પત્ર લઉં તો પાછો ફરી જાય.(ક્રિયાત્તિપત્યર્થ વાક્ય બનાવો.)
(( 4 ) નિદ્રાવશથી કેમ ઉઠાડું? (આજ્ઞાર્થ વાક્યમાં ફેરવો.)
ઉત્તર : ( 1 ) પ્રથમ વાજતાં રૂડાં લાગતાં, આજ કેવાં શત્રુ થઈ નીવિડયાં! ( 2 ) પત્ર લખી મોકલ્યો હશે પિતાએ મુજ સ્વામી. (૩) પત્ર લઈ લેત તો પાછો ફરી જાત. ( 4 ) નિદ્રાવશથી ઉઠાડો.
3. નીચેનાં વાક્યોમાં પ્રત્યયો ખોટા વપરાયા હોય તો સુધારીને લખો :
(1) તે નારીનો પરમ ભાગ્ય, જેને આવો હશે ભરથાર!
( 2 ) વિષયાને વિમાસી જોયું :
(૩) વિશાળ હ્રદે ને હાર હેમનું, કટિ કેસરીથી સરખી.
ઉત્તર : ( 1 ) તે નારીનું પરમ ભાગ્ય, જેને આવો હશે ભરથાર! ( 2 ) વિષયાએ વિમાસી જોયું :
(૩) વિશાળ હદે ને હાર હેમનો, કિટ કેસરીના સરખી.
4.નીચેના શબ્દોના અર્થભેદ લખો :
1 ) અળગું – વેગળું
( 2 ) ભ્રમર – ભમ્મર
(૩) પાણી – પાણિ
( 4 ) કાળજ – કાજળ
( 5 ) સૂઝે – સૂજે
ઉત્તર : ( 1 ) અળગું – આપણી પાસે હોય તેવું કોઈ દૂર થાય તે વેગળું – જે દૂર હોય ને દૂર જ રહે તે( 2 ) ભ્રમર – ભમરો | ભમ્મર – ભવું(૩) પાણી – જળ | પાણિ – હાથ ( 4 ) કાળજ – કાળજુ | કાજળ – મેંશ ( 5 ) સૂઝે – સમજે | સૂજે – સોજો ચઢે ( 6 ) તરણી – નૌકા / તરુણી – યુવાન સ્ત્રી
5.
1
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. તુરી 2. મુખ | – વદન, ચહેરો – સહિયર, બહેનપણી - અશ્વ, ઘોડો |
ઉત્તર : 1. તુરી – અશ્વ, ઘોડો 2. મુખ – વદન, ચહેરો
2
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. અંબુજ 2. શશી | – સુધાંશુ, ચંદ્ર – અલંકાર, ઘરેણું – પંકજ, કમળ |
ઉત્તર : 1. અંબુજ – પંકજ,2. શશી – સુધાંશુ, ચંદ્ર
3
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. શુક 2. અર્જુન | – પાર્થ, સવ્યસાચી – પતિ, પ્રીતમ – પોપટ, કીર |
ઉત્તર : 1. શુક – પોપટ, કીર 2. અર્જુન – પાર્થ, સવ્યસાચી
4
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. વિષ 2. દાડમ | – અનાર, ગુલનાર – ઝેર, હળાહળ – સૂર્ય, ભાસ્કર |
ઉત્તર : 1. વિષ – ઝેર, હળાહળ 2. દાડમ – અનાર, ગુલનાર
5
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. નર્ખું 2. સમીપ | – પાસે, નજીક – નીરખું, જોઉં – રહસ્ય, ભેદ |
ઉત્તર : 1. નર્ખું – નીરખું, જોઉં 2. સમીપ – પાસે, નજીક
6.
નીચે આપેલા શબ્દોના અર્થ આપો :
( 1 ) આભરણ ( 2 ) પૂંઠે ( 3 ) ભ્રૂકુટિ ( 4 ) કપોત
( 5 ) મુદ્રિકા ( 6 ) ભૂરકી
ઉત્તર : ( 1 ) અલંકાર ( 2 ) પાછળ (૩) ભવું, ભમ્મર ( 4 ) કબૂતર( 5 ) વીંટી ( 6 )મોહિની
7. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
( 1 ) જાગવું
( 2 ) ચતુર
( 3 ) શોક
( 5 ) વિષ ( 6 ) ભાગ્ય
ઉત્તર : ( 1 ) જાગવું × ઊંઘવું
( 2 ) ચતુર x મૂર્ખ
(૩) શોક × આનંદ
( 4 ) સમીપ × આર્થ
( 5 ) વિષ x અમૃત
( 6 ) ભાગ્ય x દુર્ભાગ્ય
8. નીચે આપેલા શબ્દો માટે યોગ્ય શબ્દસમૂહ લખો
( 1 ) અનુપમ – જૈને ઉપમા ન આપી શકાય તેવું
( 2 ) મુખમોરડો – પશુના મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું
( ૩ ) પલાણ – ઘોડાની પીઠ ઉપર મૂકવાની બેઠક
( 4 ) અણવટ – સ્ત્રીઓનું પગના અંગૂઠામાં પહેરવાનું ઘરેણું
( 5 ) વીંછિયો – પગની આંગળીનું ઘરેણું
( 6 ) હરિવદની – હરે(ચંદ્ર)ના જેવા મુખવાળી
( 7 ) નખશિખા - પગથી માથા સુધી
( 8 ) સુવદનઅંબુજ – કમળ(અંબુજ)ના જેવા સુંદર મુખવાળો
( 9 ) બાજુબંધ – હાથ પર પહેરવાનું ઘરેણું
(10) ભાય – અંગરખા જેવું એક વસ
(11) કસ – અંગરખું, બંડી વગેરે ભીડવાની નાની દોરી
(12) મૂહુર્ત – શુભ અને માંગલિક સમય
(13) ત્રિભુવનનાથ – સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણેય
ભુવનના સ્વામી
(14) પેંગડાં – ધોડેસવાર જેમાં પગ રાખે છે તે કડાં
9. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપો :
( 1 ) નખું ( 2 ) સાટે ( ૩) કોય
( 4 ) ધીર( 5 ) હ્યાં
( 6 ) બાંય ( 7 ) સરસ્યું ( 8 ) પુંઠે
( 9 ) ભાગ઼ (10) પછે
(11) જોય(12) સ્વાસ (13) મરમ 14) આભ્રૂણ
(15) મજ (16) બગ (17) પેખે (18) દીસે (19) રખે.
ઉત્તર : ( 1 ) નીરખું
( 2 ) બદલે
( 3 ) કોઈ
( 4 ) ધીરજ
( 5 ) અહીં ( 6 ) બાવડું ( 7 ) સમીપ
(9) સૂર્ય (10) પછી (11) જુએ (12) શ્વાસ (13) મર્મ
( 8 ) પાછળ
(14) અલંકાર (15) મારો
(18) દેખાય (19) કદાચ
10. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરી લખો :
( 1 ) પુરૂષ ( 2 ) નિંદ્રા ( ૩ ) માનીનિ
(5) હરીભક્ત ( 6 ) બ્રૂકૂટિ ( 7) મૂહુર્ત
(૬) તારૂણી (10) ચંન્દ્રહાસ
( 4 ) સહિઅર
( 8 ) ત્રીભવન
ઉત્તર : ( 1 ) પુરુષ ( 2 ) નિદ્રા ( ૩ ) માનિની
( 5 ) હરિભક્ત ( 6 ) ભ્રૂકુટિ
( 4 ) સહિયર
(7) મુહૂર્ત
( 8 ) ત્રિભુવન
( 9 ) તારુણી (10) ચંદ્રહાસ
( 4 ) સમીપ
11. નીચેનાં વાક્યોમાં વિરામચિહ્નોનો ઉપયોગ કરી, વાક્ય કરી
લખો :
( 1 ) વિષયાએ વિમાસી જોયું એ પુરુષને હું નપું
ઉત્તર : વિષયાએ વિમાસી જોયું : 'એ પુરુષને હું નખ્ખું,'
(2) પત્ર લખ્યું તે લાવો સ્વામી એમ કહી વિષયા વળી ફે
ઉત્તર : ‘પત્ર લખ્યું તે લાવો, સ્વામી' એમ કહી વિષયા
વળી રે.
12. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો.
( 1 ) દૃષ્ટિ આડી રાખવી – નજરે ન ચડવું કે આવવું
વાક્ય : પોતાનું મોં કોઈ ન જોઈ જાય એટલે ચોરે દૃષ્ટિ આ
રાખી.
( 2 ) હિમે હાડ ગાળવાં – બરફની ઠંડીમાં હાડકાં નબળાં પી
જાય ત્યાં સુધી તપ કરવું
વાક્ય ઃ ઋષિઓ હિમે હાડ ગળી જાય એટલું તપ કરતા.
( 3 ) સુખ ટાળવાં – સુખનો ત્યાગ કરવો
વાક્ય : સાચા સંત જીવનમાં સર્વે પ્રકારના સુખ ટાળીને
ભગવાનની ભક્તિ કરતા હોય છે.
( 4 ) જળ ભરવાં – (અહીં) આંસુ સારવાં
વાક્ય : સિયાચીનની બરફીલી પહાડી પર શહીદ થઈ ગયેલા
જવાનોના સમાચાર સાંભળી દેશની જનતાની આંખોમાં
જળ ભરાયાં.
13. નીચેનાં વાક્યોમાંથી સંયોજક શોધીને લખો :
( 1 ) આકાશે અભ્ર અળગું થાયે ચંદ્રબિંબ દીસે જેવું,
ત્યમ પિછોડી પરી કીધે મુખ કુલિંદકુંવરનું તેવું.
( 2 ) મેં પાપણિયે પુન્ય ન કીધું, તો ક્યાંથી આવો સ્વામી!
( ૩ ) ઊઠી. અબળા ચાલી ત્યાંથી મુખે કહેતી વેણ.
ઉત્તર : ( 1 ) (જ્યમ)
ત્યમ જેવું તેવું ( 2 ) (જો) ... તો
( ૩ ) (જ્યાંથી)
ત્યાંથી
14
નીચેનાં વાક્યોમાં કઈ વિભક્તિ વપરાઈ છે તે જણાવો
( 1 ) વિષયાએ વિમાસી જોયું.
(2 ) કે અશ્વ, તું અતિ અનુપમ,
( ૩ ) વિશાળ હૃદે, ને હાર હેમનો, ...
( 4 ) મેં પાપણિયે પૂન્ય ન કીધું, તો ક્યાંથી આવો સ્વામી!
( 5 ) ... હરિવદની હૈડામાં ઘણું હરખી.
ઉત્તર : ( 1 ) વિષયાએ – પ્રથમ વિભક્તિ (કર્તા)
(2 ) હે અશ્વ! – અષ્ટમી વિભક્તિ (સંબોધન)
( 3 ) હેમનો હાર – પી વિભક્તિ (સંબંધ
( 4 ) ક્યાંથો(થી) – પંચમી વિભક્તિ (અપાદાન)
( 5 ) હૈડામાં –– સપ્તમી વિભક્તિ (અધિકરણ)
No comments:
Post a Comment